રાજપીપળા સોનિવાડની ભાવનગર પરણાવેલી પરિણીતાને દહેજ બાબતે ત્રાસ આપતા સાસરીયાઓ સામે ફરિયાદ
દહેજ માટે ત્રાસ આપતા પતિ,સસરા અને સાસુ વિરુદ્ધ રાજપીપળા મહિલા પો.સ્ટે.માં ગુનો દાખલ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના સોનિવાડમાં રહેતી અને ભાવનગર ખાતે પરણાવેલી પરિણીતાને દહેજ બાબતે ત્રાસ આપી મારઝૂડ કરતા સાસરિયાઓ વિરુદ્ધ પરિણીતા એ મહિલા પો.સ્ટે.માં ફરિયાદ આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળાના સોનિવાડ વાઘેશ્વરી માતાના મંદિર પાસે રહેતા ગણેશભાઈ જૈનની દીકરી દીપિકાના લગ્ન આજથી લગભગ 8 વર્ષ પૂર્વે ભાવનગર ખાતે રહેતા વિજેશભાઇ જગન્નાથજ ખટીક સાથે થયા હતા.લગ્ન જીવન દરમિયાન હાલ એક 7 વર્ષ ની બાળકી પણ છે પરંતુ લગ્ન ના થોડા મહિનાઓ બાદ દીપિકાને તેના પતિ વિજેશ મારઝૂડ કરી ધાક ધમકી આપી સસરા જગન્નાથ ઉકાળુભાઇ ખટીક અને સાસુ સુશીલાબેન જગન્નાથ ખટીક સાથે મળી દહેજની માંગણી કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હતા ત્યારબાદ 7 વર્ષ ની બાળકી સાથે દીપિકા ને કાઢી મુકતા દીપિકા પુત્રી સાથે પોતાના પિયર રાજપીપળા આવી ગયા બાદ પતિ,સસરા,સાસુ વિરુદ્ધ મહિલા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.