News of Friday, 2nd October 2020
વિરમગામમાં ગાંધી જંયતી નિમિતે ABVP દ્વારા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો
યુવાનોએ ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીના વિચારો જીવનમા ઉતારવાનો સંકલ્પ કર્યો
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ગાંધી જંયતિ નિમિતે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત વિવેકાનંદજીની પ્રતિમા સ્ંકુલ , ગોલવાડ પાસે યુવાનો દ્વારા સાફસફાઈ કરવામા આવી હતી. યુવાનોએ ગાંધીજીના વિચારો , લાલબહાદુર શાસ્ત્રીના વિચારો જીવનમા ઉતારવાનો સંકલ્પ કર્યો હતો. નગરના ABVP કાર્યકરોએ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો તેમ તેજશભાઇ વજાણીએ જણાવ્યું હતું.
(8:22 pm IST)