રાજપીપળા ખાતે ગાંધી ચોક ખાતે નર્મદા કૉંગ્રેસ દ્વારા સ્કૂલ ફી માફી સહિતની માંગ સાથે ધરણા કાર્યક્રમ યોજાયો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : મોદી સરકાર દ્વારા લોકશાહીનું હનન થઈ રહ્યું તથા સરકારે ખેડુત વિરોધી કાયદો ઘડી ખેડુતોને પાયમાલ કરવાની નીતિ ઘડી જેના વિરુદ્ધ તથા કોરોનામાં સ્કૂલ ફી માફીની માંગ સાથે આજે ગાંધી જયંતિના દિવસે નર્મદા કૉંગ્રેસ દ્વારા રાજપીપળા ગાંધી ચોક ખાતે એક ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
જેમાં ગાંધીજીની પ્રતિમાને હાર ચડાવી તેમને જીવન વિશેની માહિતી આપી ધારણા કરવામાં આવ્યા. નર્મદા કૉંગ્રેસ કાર્યકારી પ્રમુખ નિકુંજભાઈ પટેલ ,નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ જેન્તીભાઈ વસાવા, માઈનોરિટી સેલ પ્રમુખ ઈમ્તિયાઝ કાદરી ,મહિલા કૉંગ્રેસ અગ્રણી સુમિત્રાબેન રાઉલજી,ચંદ્રિકાબેન વસાવા,તથા યુથ કૉંગ્રેસ નર્મદા પ્રમુખ વાસુદેવ વસાવા તથા નાંદોદ વિધાનસભા પ્રમુખ અજયભાઈ વસાવા,તથા ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ પરમાર,જય પંચાલ, અમિતભાઈ માલી સહિતના કૉંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતાં.