ગુજરાત
News of Friday, 2nd October 2020

રાજપીપળામાં ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે ગાંધી બાપુની પ્રતિમાને સુતરાંજલી અર્પણ કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં તંત્ર અને રાજકીય આગેવાનોએ ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે બાપુની પ્રતિમાને સુતરાંજલી અર્પણ કરી હતી  2 જી ઓક્ટોમ્બરે સમગ્ર દેશમાં ગાંધી જયંતિની ઉજવણી કરાઈ છે ત્યારે રાજપીપળા શહેરમાં દર વર્ષની માફક આ વર્ષે વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોના આગેવાનોએ ગાંધી ચોક ખાતે આવેલી ગાંધી બાપુની પ્રતિમાને સુતરાંજલી અર્પણ કરી હતી.જેમાં તંત્રના અધિકારીઓ ,ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પાર્ટીના આગેવાનોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરાંજલી અર્પણ કરી બાપુને યાદ કર્યા હતા.

(10:58 pm IST)