ગુજરાત
News of Thursday, 10th September 2020

ગાંધીનગરના સચિવાલયનાં 8 કર્મયોગીઓને કોરોના પોઝિટિવ આવતા સંકુલમાં ખળભળાટ

સચિવાલયના 729 કર્મયોગીઓનો ટેસ્ટ કરાયો હતો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે અનેક સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને કોરોનાએ ઝપટે લીધા છે સીએમઓ સહિતની અનેક ઓફિસોનાં કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે ફક્ત સરકારી ઓફિસો જ નહી ભાજપનું મુખ્યાલય કમલમ્ પણ કોરોનાનાં કહેરનો શિકાર બની ચૂક્યું છે, ત્યારે ફરી ગાંધીનગરની વઘુ એક સરકારી ઓફિસ કોરોનાની ઝપેટમાં આવી ગઇ હોવાની વિગતો સામે આવતા ખડભડાટ મચી જવા પામ્યો છે.

મહાનગરપાલિકાના મેડીકલ ઓફિસર દ્રારા આપવામાં આવેલ માહિતી પ્રમાણે ગાંધીનગર સ્થિતિ સચિવાલયના 8 કર્મયોગીઓને કોરોના પોઝિટિવ નોંધવામાં આવ્યો છે. સચિવાલયના 729 કર્મયોગીઓનો ટેસ્ટ કરાયો હતો અને તેમાથી 8 કર્મયોગીઓનાં કોરોના પોઝિટિવ આવ્યા છે.

(10:38 pm IST)