નર્મદા જિલ્લામાં મંગળવારે ૨૨ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૫૧૯ પર પહોંચ્યો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૨૨ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં દોલત બજારમાં ૦૧, રાજેન્દ્રનગર મા ૦૩,ભાટવાડા માં ૦૧ તથા નાંદોદના રસેલામાં ૦૧, તરોપા માં ૦૧, જીતનગર માં ૦૨ તથા ગરુડેશ્વરના મોજરાંમાં ૦૧, રામપુરામાં ૦૧ તથા તિલકવાડા ના કાલાઘોડા માં ૦૧ તથા ડેડીયાપાડા ના મોરીયાણા માં ૦૧, સોલીયા માં ૦૧, ડેડીયાપાડા માં ૦૨, ખોખરાઉમર માં ૦૧, ગોપાલીયામાં ૦૧ તથા સાગબરાના પાટમાં ૦૨, રાણીપુર માં ૦૧, નાના કાકડીઆંબા માં ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૨૨ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૫૫ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૩૬ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૪૪ દર્દી દાખલ છે, આજે ૧૮ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૩૬૭ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે .જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૫૧૯ પર પહોચ્યો છે.આજે વધુ ૧૭૧૬ સેમ્પલ ચકાસણી હેઠળ છે