રાજ્યના ચાર મહાનગરોમાં આગામી 15 દિવસ સુધી રાત્રી કર્ફ્યું યથાવત : મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત
વધુ બે અઠવાડિયા આ કર્ફ્યું યથાવત રાખવાની રૂપાણી સરકાર દ્વારા નિર્ણંય
અમદાવાદ : રાજતના મહાનગરોમાં રાત્રી કર્ફ્યુંને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જાન્યુઆરીથી ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યું હતું, આ અંગે વધુ એક નિર્ણય લેતા આગામી 15 દિવસ સુધી રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યું યથાવત રાખવાની મુખ્યમંત્રી રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દિવાળી બાદ વકરેલી કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને ઉતરાયણ બાદ પણ કર્ફ્યું યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અગાઉ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનો સમય હતો, જેમાં આંશિક રીતે ફેરફાર કરીને 1 કલાકની છૂટ આપતા રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુંનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. જેને યથાવત રાખતા વધુ બે અઠવાડિયા આ કર્ફ્યું યથાવત રાખવાની રૂપાણી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે