News of Saturday, 16th January 2021
કરાઠા ગામમાં ખેતરની વાડ બનાવનાર ઉપર દંપતીએ હુમલો કરી જાન થી મારી નાંખવાની ધમકી આપી
(ભરત શાહ દ્વારા) નાંદોદ તાલુકાના કરાઠા ગામના તળાવ પાસે ખેતરની વાડ બનાવતા ઈસમ ઉપર હુમલો કરી મારી નાખવાની ધમકી આપનાર દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ચિરાગભાઇ જગદિશભાઇ પટેલ (રહે.કરાઠા )પોતાના ખેતરે વાડ બનાવતા હોય તે વખતે કરાઠાનો અશ્વિનભાઇ ચિમનભાઇ વસાવા ત્યાં આવી કહેવા લાગેલ કે અહી વાડ કેમ બનાવ છો તે વખતે ચિરાગે જણાવેલ કે અમારા ખેતરની હદ હોય જેથી તમારા ઢોર ઢાકર પેસી ના જાય તે માટે વાડ બનાવુ છુ તેમ કહેતા આરોપી અશ્વિને નજીકમાં પડેલ ઈટના ટુકડા લઈ ને છુટા મારતા તેમજ અશ્વિન ની પત્નિ એ લાકડી લઈને મારતા ચિરાગ ને ઈજા કરી એક બીજાની મદદગારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય રાજપીપળા પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(10:45 pm IST)