News of Wednesday, 16th September 2020
વડોદરામાં ઇન્દુ આયુર્વેદીક કોવીડ કેર સેન્ટરનો પ્રારંભ
રાજકોટ : પ્રાચીન ચિકિત્સા પધ્ધતિ આયુર્વેદમાં પણ કોરોનાની સારવાર અને ઉપચાર ઉપધ્ધ છે. આયુર્વેદે બનાવેલી ત્રણ દવાઓ અસરકારક નીવડી છે જેને રાજયના આયુષ વિભાગની સાયન્ટીફીક કમીટીએ માન્યતા આપી છે. ત્યારે રાજકોટ બાદ રાજયનું બીજુ ઇન્દુ કોવિડ કેર સેન્ટર વડોદરા નજીક અંકોડીયા ખાતે શરૂ કરવામાં આવતા રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરિયાના અને ડો. હિતેશ જાનીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. જયાં ૩૫ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. પંચગવ્ય, નસ્ય અને ધૂપ, વિરેચન, વમન જેવી સારવાર અપાશે.
(2:46 pm IST)