ગુજરાત
News of Wednesday, 16th September 2020

વડોદરાના માણેજા વિસ્તારમાં એકલવાયું જીવન જીવતી મહિલાની નોકરી છૂટી જતા પંખા પર લટકી આપઘાત

વડોદરા: શહેરના માણેજા વુડાના મકાનમાં એકલવાયું જીવન જીવતી મહિલાની નોકરી લોકડાઉનના કારણે છૂટી જતા તેણે ઘરે પંખા પર લટકીને આપઘાત કરી લીધો છે.

પતિના અવસાન બાદ ૬૨ વર્ષના જેતુનબીબી નવાબ શેરખાન એકલવાયું જીવન જીવતા હતાં. અને સયાજીગંજ વિસ્તારની એક હોટલમાં નોકરી કરતા હતાં. પરંતુ લોકડાઉનના કારણે હોટલો બંધ થઇ જતા તેમની નોકરી છૂટી ગઇ હતી આજુબાજુમાં રહેતા પાડોશીઓ તેમને જમવાનું આપી જતા હતા.

ગઇકાલે સાંજે પાડોશી તેમને ચા આપવા ગયા તે સમયે જેતુનબીબીને પંખા પર લટકતા જોઇ પોલીસને જાણ કરી હતી. મકરપુરા પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:04 pm IST)