News of Wednesday, 16th September 2020
આણંદ જીલ્લાના ધર્મજમાં સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી જ દુકાનો ખુલી રાખવા નિર્ણય
ગામમાં કોરોનાના 25 કેસ આવતા રહીશો ઘ્વારા સ્વયંભૂ બંધને સમર્થન
આણંદ જીલ્લાના ધર્મજમાં અત્યાર સુધી 25 જેટલા પોઝિટિવ દર્દીઓ મળી આવતા લોક ડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધર્મજના રહીશો ઘ્વારા સ્વયંભૂ બંધને સમર્થન કરવામાં આવી રહ્યું છે. શાકભાજી, દૂધ દહીં અને કરીયાણા ની દુકાનો 9 થી 12 ખોલી શકાશે. બેન્ક નિયમ અનુસાર ખુલ્લી રાખી શકાશે
જીવન જરૂયાતની ચીજવસ્તુઓ માટે દુકાનદારોના કોવિડ ટેસ્ટ કર્યા બાદ વ્યાપાર કરવાની છૂટ આપવામાં આવી છે. ગત રોજ થી 15 દિવસ માટે સ્વયંભૂ બંધ પાળવામાં આવશે. ધર્મજ ગામ પંચાયત દ્વારા કોરોના સામે લડવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
(6:08 pm IST)