અમદાવાદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં આંબેડકરનો ફોટો મુકવા આદેશ
વઢવાણ તા.૧૭ : અમદાવાદ જિલ્લાની ઘણી ગ્રામ પંચાયતોમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નહિ હોવાનું કિરીટ રાઠોડના ધ્યાને આવેલ જેને લઈને તા.૧૪/૦૯/૨૦૨૦ ના રોજ અરુણ મહેશ બાબુ(આઈ.એ.એસ), જિલ્લા વિકાસ અધિકારીને કિરીટ રાઠોડ, જીતેન સમ્રાટ, પી.કે.કલાપી, ગોપાલ ચૌહાણ, કેતન પરમારના પ્રતિનિધિ મંડળ દ્વારા દલિત અધિકાર મંચ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની છબી સાથે લેખિત આવેદનપત્ર આપીને તમામ ગ્રામ પંચાયતોમાં ડો. બાબા સાહેબ આંબેડકરની છબી મુકવાની કાર્યવાહી અર્થે કલેકટર, અમદાવાદના પરિપત્રનો કડક અમલ કરવા માંગ કરવામાં આવી હતી.
જેને લઈને તા.૧૫/૦૯/૨૦૨૦ ના રોજ જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી અંગત પી.એની સહીથી અમદાવાદ જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીને તેમના તાબાની તમામ ગ્રામ પંચાયતોમાં ડાઙ્ખ બાબા સાહેબ આંબેડકરની છબી લગાવવા અંગેની કાર્યવાહી કરવાના કચેરી આદેશ કરી દેવામાં આવ્યા છે.