દેત્રોજ તાલુકાના કટોસણ રોડ ખાતે સેવા સપ્તાહ ઉજવણી અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ
દેત્રોજ ભાજપના હોદ્દોદારો, કાર્યક્રતાઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના લોકપ્રિય નેતાઓમાં જેની ગણના થાય છે, તેવા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ જન્મ દિવસ છે. જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહ ઉજવણીના ભાગરૂપે તારીખ 14 થી 20 સપ્ટેમ્બર સુધી જુદા જુદા સેવાકીય કાર્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના દરેક મંડળ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે દેત્રોજ તાલુકાના કટોસણ રોડ મુકામે બુધવારે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખેલ હતો. જેમાં દેત્રોજ તાલુકાના ભાજપના કાર્યકરો કટોસણ રોડ મુકામે એકત્ર થઈને બજારમાં સફાઈ કામ કરેલ છે. આ કાર્યક્રમમાં લક્ષ્મણસિંહ સોલંકી, નરેન્દ્રભાઈ પટેલ, રસિકલાલ પટેલ, મહેન્દ્રસિંહ સોલંકી, કિરીટસિંહ સોલંકી. અબાસણા, બટુકસિંહ , બટુકસિંહ દેકાવાળા, શંભુભાઈ પટેલ, આનંદીબેન પટેલ, હેમાબેન વ્યાસ, બાબુજી ઠાકોર, હરુભા સોલંકી રમેશજી ઠાકોર, દાનભા ઝાલા, લાલભાઇ ડેલીગેટ તથા અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.