ગુજરાત
News of Thursday, 17th September 2020

વડોદરાથી કેનેડા જવા માંગતા ત્રણ યુવાનો પાસેથી સાત લાખ પડાવી નકલી વિઝા આપી છેતરપિંડી આચરનાર ભેજાબાજ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:શહેરમાં કેનેડા જવા માંગતા ત્રણ ઇચ્છુંકો પાસેથી રૂપિયા સાત લાખ પડાવી લઇ નકલી વર્ક પરમિટ વિઝા અને એપોઇન્ટમેન્ટ લેટર બનાવી છેતરપિંડી આચરનાર સુરતના ભેજાબાજ વિરૂદ્ધ નવાપુરા પોલીસ મથકે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.

વડોદરા શહેરના સમા ગામમાં રહેતા ભદ્રેશભાઈ પંડ્યા કન્સલ્ટનસી વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને કારેલીબાગ ખાતે ઓફિસ ધરાવે છે. દરમિયાન નડિયાદના ગ્રાહક હીરાભાઈ પટેલ સાથે પરિચય થયો હતો.

તેઓએ જણાવ્યું હતું કે મૂળ નડિયાદનો રહેવાસી અને હાલમાં સુરતના ઉધના ખાતે રહેતો રાજેન્દ્ર કુમાર ઉમાશંકર પ્રસાદ વર્ક પરમિટ વિઝા આપવાનું કામ કરે છે.

(5:07 pm IST)