ગુજરાત
News of Sunday, 18th October 2020

કેવડિયામાં પીએમ મોદીના આગમન પૂર્વે એસઆરપી,પોલીસ જવાનોના કોરોના ટેસ્ટ ની કામગીરી શરૂ

શુક્રવારે જ એક સાથે ૯ એસઆરપીના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું હતું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે જેમાં કેવડિયા કોલોની એસઆરપી ગ્રુપમાં શુક્રવારે એક સાથે ૯ કોરોના પોઝીટીવ કેસ જોવા મળતા આરોગ્ય વિભાગ જાણે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું હતું કેમ કે આગામી 31 ઓક્ટોમ્બરે એકતા પરેડમાં પીએમ મોદી કેવડિયા આવનાર હોય અને અચાનક ત્યાં ફરજ બજાવતા એસઆરપી જવાનો કોરોના સંક્રમિત જણાય તો મોટી તકલીફ પડે માટે આજે લાગતા વળગતા અધિકારીઓ પોતાની ગોદડી નીચે રેલો આવતા પહેલા જ પાળ બાંધવા દોડતા થયા હતા અને કેવડિયા ખાતે બંદોબસ્તમાં હાજર તમામ એસઆરપી અને પોલીસ વિભાગના કોરોના ટેસ્ટની આજથી શરૂઆત કરવામાં આવી હતી

(10:16 pm IST)