બનાસકાંઠા :12 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ બાદ ક્રૂર હત્યા: ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ટવીટ કરીને રોષ ઠાલવ્યો :કહ્યું ભારતમાતાની હત્યા
પીડિતાના પરીવારજનોએ આરોપીને તાત્કાલીક ફાસી થાય તેવી માંગ કરી
બનાસકાંઠામાં 12 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ ગુજારીને તેની હત્યા કરવામાં આવી છે, તેનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર કિશોરી મૂકબધિર હતી તેમણે આ મામલે જણાવ્યું, "રેપ વિથ મર્ડરનો કેસ છે. આરોપીની અટક કરાઈ છે. પૂછપરછ ચાલુ છે. એફએસએલમાં નમૂના મોકલી દેવાયા છે. તપાસ માટે ખાસ ટીમ પણ બનાવાઈ છે."
કિશોરીની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે જેમાં કોઈ તીક્ષ્ણ હથિયારથી તેનું માથું ધડથી અલગ કરી દેવાયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ સમગ્ર મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરી રોષ વ્યક્ત કર્યો હતો. અને ટ્વિટ કરીને કહ્યું કે આ ભારતમાતાની હત્યા છે, ભારતમાતાનું ગળુ કાપવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય મહિલા આયોગ'નાં સભ્ય ડૉ. રાજુલ દેસાઈએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.તેમણે નિવેદનમાં કહ્યું હતું કે આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે આ ખૂબ જ નિંદનીય ઘટના છે અને સમાજ માટે આ એક ચિંતાનો વિષય છે.
આ ુપરાંત પોલીસ પણ આ દિશામાં કડક તપાસ કરી રહી છે અને પીડિતાના પરીવારજનોએ આરોપીને તાત્કાલીક ફાસી થાય તેવી માંગ કરી છે.