ગુજરાત
News of Sunday, 18th October 2020

નર્મદા જિલ્લામાં રવિવારે નવા ૧૦ કોરોના કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક ૧૧૨૮ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે. જિલ્લામાં રવિવારે નવા ૧૦ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
  આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં રવિવારે ૧૦ દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં નાંદોદના ભદામ-૦૧,ધારીખેડા સુગર-૦૧, જીતનગર- ૦૧ જ્યારે ગરુડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની-૦૪, ઝરીયા ગામના-૦૨ અને ગોરા-૦૧ મળી નર્મદા જિલ્લા માં કુલ-૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
  રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે,જ્યારે ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૨ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૩૨ દર્દી દાખલ છે.આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૦૬૧ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૧૧૨૮ પર પહોચ્યો છે.આજે વધુ ૪૪૮ સેમ્પલ ચકાસણી હેઠળ છે

(10:46 pm IST)