ગુજરાત
News of Sunday, 18th October 2020

ભાજપના વધુ એક ધારાસભ્ય નારાજ: મંગળવારે રાજીનામુ ફગાવશે: ભાજપ સાંસદ અને સ્થાનિક સંગઠન સામે જબરૂ આક્રોશ: અમૂલ ડેરીમાં સાંસદે હરાવ્યાનો આક્ષેપ: આમ છતાં રહેશે તો ભાજપ સાથે જ..

રાજકોટ: ઉમરેઠ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે આજે કહ્યું હતું કે તેઓ મંગળવારે ગાંધીનગર જશે અને રાજ્ય વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપશે.

 જો કે શ્રી પરમારે કહ્યું કે તેઓ ભાજપ સાથે જ રહેશે.  પરમારે વધુમાં જણાવ્યું હતું કે તેઓ  જિલ્લા ભાજપના સંગઠન અને જાતિવાદી અભિગમ માટે સ્થાનિક લોકસભાના સાંસદ મિતેશ પટેલથી નારાજ છે.  તેમણે કહ્યું કે અમુલ ડેરીની ચૂંટણીમાં તેમની તાજેતરની હાર જિલ્લા પાર્ટી સંગઠન અને સાંસદ મિતેશ પટેલને કારણે મળી છે.

(11:06 pm IST)