ગુજરાત
News of Monday, 18th January 2021

રાજપીપળા સહિત નર્મદામાં કુલ-૫૧ આરોગ્ય અધિકારી, કર્મીઓએ કોરોના વેક્સીનનો લાભ લીધો:કોઈને આડ અસર થઈ નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  તા.૧૬ મી જાન્યુઆરીના રોજ કોવીડ-૧૯ વેક્શીનેશનનો પી.એમ.ના હસ્તે ઓનલાઇન લોન્ચીંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ૨૫ અને તિલકવાડા તાલુકાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કુલ -૨૬ સહિત જિલ્લાના કુલ-૫૧ આરોગ્ય અધિકારીઓ/આરોગ્ય કર્મઓને રસી આપવામાં આવી હતી

 આ તમામ લોકો હાલ સુરક્ષીત છે.રસીની કોઇ આડ અસર પણ જોવા મળી નથી બન્ને સાઇડ માટે નોડલ અધિકારીની નિમણુંક કરવામાં આવી હતી અને સમગ્ર કામગીરીનું મોનીટરીંગ અને સુપરવીઝન કરવામાં આવ્યું હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ, કે.પી.પટેલ તરફથી જણાવાયું  છે.

(12:54 am IST)