પ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરનારની પિતાએ હત્યા કરી
આંગણામાં રમતી બાળકીને પિશાચ ઊઠાવી ગયો હતો : અંકલેશ્વરમાં નરાધમે મકાનના આંગણામાં રમી રહેલી બાળકીને ઊપાડી જઈ શૌચાલય લઇ જઇને કુકર્મ કર્યું
અંકલેશ્વર, તા. ૨૧ : દેશભરમાંથી છેડતી તેમજ દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. દીકરીઓ માટે હવે બહાર એકલા નીકળવું પણ સુરક્ષિત નથી રહ્યું ત્યારે અંકલેશ્વરથી એક એવી ઘટના સામે આવી જેમા ૫ વર્ષની બાળકીને શૌચાલયમાં લઇ જઇ બદકામ કર્યું હતું અને પિતાને આ અંગે જાણ થતા બળાત્કારીની હત્યા કરી છે.
મળતી માહિતી અનુસાર અંકલેશ્વરમાં ૫ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર બળાત્કારીની પિતાએ હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી છે. આંગણામાં રમતી બાળકીને શૌચાલયમાં લઈ જઈ નરાધમે બદકામ કર્યું હતું. આ અંગે બાળકીના પિતાને જાણ થતા બળાત્કારી લાલુ રજુ બિહારીની હત્યા કરી નાંખી હતી. આ ઘટનામાં અંકલેશ્વર શહેર પોલીસે તપાસ શરૂ કરી છે.
કહેવાય છે ને દીકરી તો તેના પિતાનો જીવ હોય છે જો દીકરીને કઇ થાય તો પિતા જોઇએ ના શકે. દીકરી તેના પિતાનો કાળજાનો કટકો હોય છે. જો કોઇ તેની દીકરીની સામે ખરાબ રીતે આંખ ઉંચી કરીને જોવે તો પિતાના ગુસ્સાનો પાર ન રહે ત્યારે અંકલેશ્વરમાં એક આવી જ ઘટનાને લઇને પિતાએ દીકરી પર બળાત્કાર કરનારની હત્યા કરી દીધી છે. આંગણામાં રમતી ૫ વર્ષની બાળકીને શૌચાલયમાં લઇ જઇ બદકામ કર્યું હતું. આ ઘટના અંગે પિતાને જાણ થતા બળાત્કારી લાલુ રજુ બિહારીની હત્યા કરી નાખી, આ મામલે અંકલેશ્વર શહેર પોલીસે તપાસ શરૂ કરી છે.