રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ અલકેશસિંહ ગોહિલના દુઃખદ અવસાનને પગલે રજપૂત ફળિયામાં દિવાળી ન ઉજવી શોક પાળ્યો.
કોઈએ ઘર બહાર દિવા ન સળગાવ્યો કે કોઈએ રોશનીનો ઝગમગાટ પણ ન કરી તેમની ચીર વિદાયને શ્રદ્ધાંજલિ આપી.
(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાના ત્રણ ટર્મથી પ્રમુખ રહી ચૂકેલા અને અંતમાં કારોબારી અધ્યક્ષ તરીકે રહેલા અલકેશસિંહ ગોહિલનું માત્ર 53 વર્ષની ઉંમરે અવસાન થયું હોય તેમની આમ આકસ્મિક ચીર વિદાઈથી રાજપૂત સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ અને આખો સમાજ શોકાતુર બન્યો છે રાજપૂત સમાજના અગ્રણી અને ભાજપના નેતા તરીકે તેમની એક આગવી ઓળખ હતી, રાજપીપળા શહેરમાં વિકાસ લક્ષી કામગીરીને લઈને આજે તેમની વિદાઈથી શહેરમાં શોકની લાગણી આજે પણ લોકોમાં જોવા મળી રહ્યો છે
રાજપીપળા ના રજપૂત ફળીયા વિસ્તારમાં દિવાળી પહેલા તેમની અણધારી વિદાઈને લઈને દિવાળી નહીં ઉજવવાનું નક્કી કર્યું, આ દિવાળીમાં કોઈએ દિવા ન સળગાવ્યા કે ના કોઈએ ઘરો પર રોશની કરી સાથે સાથે કોઈએ ફટાકડા પણ ના ફોડયા કે ના મીઠાઈ મંગાવી તેમને શ્રદ્ધાંજલિ આપી સ્વ.અલકેશ સિંહ ગોહિલ ને સાચા હૃદયથી શ્રદ્ધાંજલિ આપી હતી.