ગુજરાત
News of Friday, 22nd January 2021

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાંથી છુટા કરાયેલા 10 સફાઈ કર્મચારીઓને પરત લેવા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

તા.26 માર્ચ-2020 થી કામ કરતા 31 જેવા સફાઈ કર્મચારીઓ પૈકી 10 ને છુટા કરાતા તમામ 31 કર્મીઓ એ કામ બંધ કરી કલેક્ટર ને આવેદન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે આવેલી નર્મદા જિલ્લાની કોવિડ-૧૯ આઈસોલેસન હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા સફાઈ કર્મીઓએ કલેક્ટરને આવેદન આપી નોકરી પર પરત લેવા રજુઆત કરી હતી.
  આવેદનમાં જણાવ્યા મુજબ કોવિડ હોસ્પિટલમાં નોકરી કરતા 31 જેટલા સફાઈ કામદારો પૈકી 10 કાચરીઓ ને તા‌- ૧૮/૦૧/૨૦૨૧ નાં રોજ બંધ કરાતા તમામ 31 જેવા સફાઈ કામદારો કામ બંધ કરી નોકરી પર પરત લેવા માંગ કરી છે જેમાં આ તમામ કર્મીઓ તા. ૨૬/૦૩/૨૦૨૦ થી કોવિડની મહામારી ચાલતી હતી તે સમય થી પરીવારની ચિંતા કર્યા વગર કામ કરતા હતા.CDM અને RMO નાં કહેવાથી કોવિડનાં મૃત પોજેટીવ દર્દિની અંતિમ ક્રિયા કરતા હતા.છતાં નોકરી પર થી છુટા કર્યા હોય આવી મહામારીમાં કોઈ નોકરી કરતુ ન હતું એવા સમયમાં તેઓ નોકરી કરતા હતા પણ 10 કર્મચારીઓને નજીવા કારણોસર નોકરી પરથી બંધ કરતા આપ નોકરી પરત અપાવો તેવી કલેક્ટર ને રજુઆત કરાઈ છે.

(12:46 am IST)