ગુજરાત
News of Wednesday, 23rd September 2020

વિરમગામના ફૈયાઝ હુશેનની અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ માં નિમણૂંક કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ  : અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ ન્યુ દિલ્હી દ્વારા કર્મનિષ્ઠા , લગન , સમાજસેવા તેમજ સામાજિક સંગઠનાત્મક કાર્યો ને ધ્યાને રાખીને વિરમગામ શહેરના  યુવા પત્રકાર અને હંમેશા લોકો ના પ્રાણ પ્રશ્નો ને વાચા આપી પત્રકારિત્વ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર રૂપાણી ફૈયાઝહુશેન રજ્જાકભાઈ ને અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ ન્યુ દિલ્હી માં વિરમગામ તાલુકા સહિત જીલ્લા માં ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ દ્વારા પોતાના પર મુકાયેલા વિશ્વાસ અને લોકો ની આશા અપેક્ષા પર ખરા ઉતરી હંમેશા પ્રજા નો અવાજ બની રહે તેવી આશા અપેક્ષા લોકો રાખી રહ્યા છે.

(6:53 pm IST)