News of Monday, 23rd November 2020
વડોદરા:પરિવાર સાથે ઉજ્જૈન ગયેલ વેપારીના બંધ મકાનનો નકુચો તોડી તસ્કરોએ એક લાખની મતાની ઉઠાંતરી કરી
વડોદરા: શહેરમાંથી પરિવાર સાથે ઉજ્જૈન ગયેલા વેપારીના બંધ ફલેટના દરવાજાના નકુચા તોડીને ચોર ટોળકી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા મળીને એક લાખની મત્તા ચોરી ગઇ હતી.
ઘડીયાળીપોળ કુબેર ભાઇચંદની પોળમાં શીવધામ ફલેટમાં રહેતા કૌશિકભાઇ સુભાષચંદ્ર દરજીની ઘર પાસે જ ઇલેકટ્રીક સામાનની દુકાન છે. ગત ૧૬મી તરીખે તેઓ પરિવાર સાથે ઉજ્જૈન દર્શન કરવા માટે ગયા હતા અને ગઇકાલે સાંજે તેઓ પરત આવ્યા હતા. તે દરમિયાન તેમના ફલેટના દરવાજાનો નકુચો તોડીને ચોર ટોળકી હાથફેરો કરી ગઇ હતી. જે અંગે વાડી પોલીસ મથકમાં તેમણે ફરિયાદ નોધાવી છે.
કૌશિકભાઇનું કહેવું છે કે અમારા વિસ્તારમાં પ્રથમ વખત ચોરી થઇ છે. ચોરીની ઘટના પછી આજુબાજુના રહીશો અને અમે સીસીટીવી કેમેરા ફિટ કરાવવાનું વિચારી રહ્યા છે.
(5:01 pm IST)