ગુજરાત
News of Sunday, 24th January 2021

અમદાવાદના એક વિસ્તારમાં વહેલી સવારે આગ લાગતા ૧પ દુકાનોમાં ભારે નુકશાન

ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો

અમદાવાદ : અમદાવાદ ના જુહાપુરા માં આજે વહેલીસવારે આઠ જેટલી દુકાનોમા આગ લાગતા ભારે દોડધામ મચી હતી. જોકે, ઘટના અંગે ની જાણ થતાં જ ફાયર ફાયટરો સાથે નો કાફલો દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવી લીધો છે. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. સદનસીબે કોઈ જાનહાની ના અહેવાલ નથી. અમદાવાદ માં આગ ની ઉપરા ઉપરી ઘટનાઓ બની રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં 15 દુકાનો આગ ની ઝપેટમાં આવી ગઈ હતી જેમાં સામાન બળીને રાખ થઇ ગયો છે. વાયુવેગે આગ ની ખબર ફેલાતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. જોકે, ફાયર વિભાગની કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવતા આગ આગળ પ્રસરતી અટકી હતી.

(12:23 pm IST)