ગુજરાત
News of Friday, 25th September 2020

તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામના આધેડ ખાટલા પર થી પડી જતા મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામના એક આધેડ વ્યક્તિ પોતાના ઘરે ખાટલા પર સુતા હતા ત્યારે અચાનક ખાટલા પરથી પડી જતા તેમનું મોત થયું હતું.
 પ્રાપ્ત માહિતી અનુસાર કંથરપુરા ગામના સુભાષભાઇ બાબુભાઇ બારીયા (ઉ.વ .૫૮) ગતરોજ બપોરે પોતાના ઘરે ખાટલામાં આરામ કરતા હતા એ વખતે અચાનક ખાટલામાંથી નીચે પડતા માથામાં ટાઇલ્સ વાગી જતા ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેમનું મોત થયું હતું.તિલકવાડા પોલીસે આ બાબતે અ.મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(6:47 pm IST)