News of Monday, 26th October 2020
પરિમલ પંડયા, હર્ષદ વોરા, વાય.પી. જોષી સહિત ર૧ અધિક કલેકટરોને સિલેકશન સ્કેલમાં બઢતી
રાજકોટ, તા. ર૬ : રાજય સરકારે જી.એ.એસ. કેડરના ર૧ અધિક કલેકટરોને સિનિયર સ્કેલમાંથી સિલેકશન સ્કેલમાં બઢતી આપી જે તે સ્થાને યથાવત રાખ્યા છે.
સિલેકશન સ્કેલ મેળવનારા અધિકારીઓમાં રાજકોટ નિવાસી અધિક કલેકટર પી.બી. પંડયા અમદાવાદના હર્ષદ વોરા, નર્મદાના એચ.કે. વ્યાસ, જામનગરના આર.વી. સવરૈયા, દાહોદના એમ.જે. દવે, આણંદના પી.સી. ઠાકોર, ભાવનગરના યુ.એન. વ્યાસ, ગિર સોમનાથના જે.એસ. પ્રજાપતિ, અમદાવાદના ડે.મ્યુ. કમિશનર વી.કે. મહેતા ઉપરાંત પી.આર. રાણા, એન.વી. ઉપાધ્યાય, એ.આર. શાહ, વાય.એમ. કરૂડ, જી.બી. મુંગલપરા એસ.એલ. શાહ, બી.એન. પ્રજાપતિ, જી.એચ. સોલંકી , ક.બી. ઠક્કર, જે.એન. વાઘેલા વગેરેનો સમાવેશ થાય છે.
(10:12 am IST)