News of Monday, 26th October 2020
અમદાવાદમાં સી-પ્લેનની સુરક્ષાનું નિરીક્ષણ-ચકાસણી કરતા પોલીસ કમિશ્નર શ્રીવાસ્તવ
સી-પ્લેન હાલમાં આજની રાત્રિ અમદાવાદમાં રોકાવવાનું છે.
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમદાવાદથી સી-પ્લેન દ્વારા જવાના છે. આ સી-પ્લેનનો હાલમાં કેવડિયા-અમદાવાદ-કેવડિયા વચ્ચે ટ્રાયલ રન ચાલી રહ્યો છે. આ સી-પ્લેન હાલમાં આજની રાત્રિ અમદાવાદમાં રોકાવવાનું છે. પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે સી-પ્લેનની મુલાકાત લઈ તેની સુરક્ષાની ચકાસણી કરી હતી. તેની સાથે તેમણે સી-પ્લેનની સુરક્ષા માટે જવાનોને પણ ગોઠવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પહેલા અમદાવાદ-કેવડિયા-અમદાવાદ વચ્ચે તેના ટ્રાયલ રન થવાના છે. જો કે આ સી-પ્લેનની ટિકિટ અમદાવાદ-દિલ્હીના ભાડાં કરતાં પણ વધારે મોંઘી છે
(10:12 pm IST)