News of Monday, 26th October 2020
31 મી ઓક્ટોબરે યોજાનાર એકતા પરેડને આખરી ઓપ : સુરક્ષા કંપનીઓ દ્વારા એકતા પરેડનું રિહર્સલ કરાઈ રહ્યું છે.
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આગામી 31 ઓક્ટોમ્બરે નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એકતા પરેડ ની ઉજવણી માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવનાર હોવાથી સ્થાનિક વહીવટી તંત્ર ઘણા દિવસોથી તે માટેના આયોજનમા વ્યસ્ત છે અને તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવાઈ છે. કાર્યક્રમ અનુસંધાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે એકતા પરેડનું રિહર્સલ ચાલી રહ્યું છે. દેશની સુરક્ષામાં હંમેશા તત્પર રહેતી અલગ અલગ સુરક્ષા કંપનીઓમાં રાજ્ય પોલીસ દળ, કેન્દ્રીય દળની ટુકડીઓ એન.એસ.જી, સી આઈ એસ એફ,એન ડી આર એફ,સી આર પી એફ અને ગુજરાત પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા એકતા પરેડ સંદર્ભે કેવડિયા ખાતે રિહર્ષલ ચાલી રહ્યું છે.
(10:16 pm IST)