News of Tuesday, 27th October 2020
આણંદના મનીષા સોલંકીના અ.ભા.માનવ અધિકાર સમિતિના પ્રમુખ પદે વરણી
ભાવનગર : વૈશ્વિક સ્તરે ઉભરતા આણંદના પ્રવચનકાર શ્રીમતી મનીષાબેન કે.સોલંકીની અખિલ ભારતીય મહિલા માનવાધિકાર નિગરાની સમિતિ દ્વારા શહેર પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. માનવમાત્રની સેવાકીય પ્રવૃતિ કરતા વિશ્વધરા ભૂષણ પ્રવચનકાર શ્રીમતી મનીષા કે. સોલંકીએ અસંખ્ય વિશ્વસ્તરીય સંમેલનોમાં ભાગ લઇ ભારતીય સંસ્કૃતિના વ્યાપ માટે યોગ્ય પ્રતિનિધિત્વ પુરૂ પાડયુ છે.
(11:51 am IST)