ગુજરાત
News of Tuesday, 27th October 2020

વડાપ્રધાન મોદીને કેમલ બેન્ડ તથા ૨૧ તોપ માફક ૨૧ બ્યુગલો દવારા સલામી અપાશે ત્યારે અદભૂત નજારો સજાર્ષેઃ જી.એસ.મલીક

પીએમઓ સતત ગુજરાતના અધિકારીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. સ્ટેટ આઇબી સતત સેન્ટ્રલ આઇબી સાથે સંકલન સાધી રહ્યા છેઃ ગુજરાતના બીએસએફ વડા રાષ્ટ્રિય એકતા દિવસના દ્વષ્યોનું 'અકિલા' ના વાચકો માટે અનેરૂ શબ્દ ચિત્ર આલેખે છે : એસપીજી દ્વારા વડાપ્રધાન બંદોબસ્ત માટેનું પ્રમાણપત્ર મળ્યું છે તેવા રાજકોટના ડીસીપી મનોહરસિંહ જાડેજાને પીએમ બંદોબસ્તમાં સામેલ કરવા ઉચ્ચલેવલથી નિર્ણય. દિલ્હીથી આવનાર ટોચના અધિકારીઓ બંદોબસ્ત સ્કીમની ગુજરાતના જવાબદારો સાથે સર્ચ કરશે.

રાજકોટઃ તા.૨૭,રાષ્ટ્રિય એકતા દિવસની પરેડ સી પ્લેનના પ્રારભ સહિત અનેક યોજનાઓને ખુલી મૂકી અને આઇએએસ ઓફિસરો સાથે વાર્ચૂલ મીટીંગ સહિતના ૨ દિવસના વડા પ્રધાનના ભવ્ય કાર્યક્રમની ભવ્યતા અને ગરિમા જળવાય તે રીતે ૨૧ તોપોની સલામી પ્રસંગે જે લશ્કરી પરંપરા મુજબ ૨૧ બ્યુગલો તથા કેમલ બેન્ડની સુરવલીઓથી અદભુત નજારો સર્જાશે તેમ ગુજરાતના બીસીએફના વડાં જી. એસ. મલીકે અકિલા સાથેની વાતચીતમાં ઐતિહાસીક પ્રસંગનું અદભુત નિરુપણ કરતા જણાવ્યું હતુ.

 ગત વર્ષ માફક ચાલુ વર્ષે પણ મૂળ ગુજરાત કેડરના શ્રી માલિક દ્વાર આ મહત્વની જવાબદારી સાંભળવામાં આવી છે. ઐતિહાસિક પરેડની તાયિરીઓ વસ્ત્રાલ તથા બીએસએફના કેમ્પસમાં યોજવામાં આવેલ. તેવો જાતે આ ઐતિહાસિક પ્રસંગોની ઉજવણી મા કોઈ કચાસ ન રહે તે માટે તેવો જાતે ગાંધીનગર ચિલોડા બીએસએફ હેડ કવાટરથી નર્મદાની મુલાકાત લઈ ચૂકયા છે. 

દરમ્યાનમાં વડાંપ્રધાનના સુરક્ષા બંદોબસ્તમાં સરહદી સુરક્ષાની તથા પીએમ બંદોબસ્ત મા એસપી સૌરભ તોલમ્બિયા બાદ હવે વડાપ્રધાનના બંદોબસ્ત માટે ખૂબ જ અનુભવી અને દિલ્હી એસપીજી દ્વારા જેમની કામગીરી અંગે પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે તેવા રાજકોટ પોલીસના કાર્યદક્ષ ડીસીપી મનોહરસિહ જાડેજાને પણ તેમના પીએમ બંદોબસ્તન આ અનુભવ આધારે ત્રીજી વખત પસંદગી ઉતારવામાં આવી છે.

સુત્રોમાંથી સાંપડતા અહેવાલો મુજબ છેલ્લા ૩ દિવસ તેવો નર્મદા કેમ્પ કરશે. તહેવારોને કારણે રાજકોટની કાયદો વ્યવસ્થામા તેમના જેવા અનુભવીની ખોટ ન પડે તે માટે ઉચ લેવેલેથી આ નિણર્ય કરવામાં આવ્યો છે.

 વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રાત્રિ રોકાણ નર્મદા કેવડિયા ખાતે કરવાના હોવાથી ગુજરાતનું ગુપ્તચર તંત્ર સતત કેન્દ્ર ગુપ્તચર સાથે સંકાં સાધી ઈનપૂટ મેળવી રાહુ છે. કેવડ્ીયાંમા પીએમ બંદોબસ્ત ધરતી આકાશ અને બોટિંગ વિસ્તારો સહિત રાખશે.

એસપીજીના ચુંનદા અધિકારીઓ પીએમ બંદોબસ્તમાં મહત્વની જવાબદારી સંભાળતા વડોદરા રેન્જ વડા હરી ક્રિષ્ના પટેલ.નર્મદ એસપી હિમકર સિહ વિગ્રે સાથે ચર્ચા કરશે.

(3:44 pm IST)