News of Tuesday, 27th October 2020
૧૧ વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ કરનાર નરાધમ પિતાના જામીન નામંજૂર
અમદાવાદઃ ૧૧ વર્ષની સગીર પુત્રી સાથે ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી પિતાના અમદાવાદ સ્પેશ્યલ કોર્ટે જામીન ફગાવી દીધા છે. અમદાવાદ સ્પેશ્યલ કોર્ટે આરોપી પિતાની જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે દીકરીનું રક્ષણ કરવું એ પિતાની ફરજ છે પરંતુ આ કેસમાં પિતા પર જ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જો આરોપી પિતાને જામીન આપવામાં આવે તો પુત્રી અને તેના પરિવારજનો પર વિપરીત અસર પડી શકે છે, જેથી આરોપી પિતાને હાલ જામીન આપી શકાય નહિ. કોર્ટે અવલોકન કરતા કહ્યું કે હાલના સમયમાં આ પ્રકારના કેસોમાં વધારો જોવા મળ્યો છે.
(2:33 pm IST)