ગુજરાત
News of Wednesday, 30th September 2020

બનાસકાંઠાના શિહોરી પાટણ હાઇવે ટેન્કરની અડફેટે બાઇકસવાર દંપતીનું ઘટનાસ્થળે મોત

બાઈક સવાર દંપતિ પરથી ટેન્કરનું ટાયર ફરી વળતાં બંનેનું કમકમાટીભર્યું મોત

બનાસકાંઠામાં શિહોરી પાટણ હાઈવે પર ટેન્કરની અડફેટે બાઇક આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર દંપતિનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. આ બનાવને પગલે આજુબાજુના લોકો અને શિહોરી પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને મૃતદેહોને પીએમ અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  આ અંગે મળતી વિગત મુજબ કાંકરેજ તાલુકાના શિહોરી પાટણ હાઈવે પર ઉંબરી ગામના રહેવાસી પંકજસિંહ વાઘેલા અને તેમની પત્ની લલિબા વાઘેલા બાઈક લઈને પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન અચાનક પુરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરની અડફેટે આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઈક સવાર દંપતિ પરથી ટેન્કરનું ટાયર ફરી વળતાં બંનેનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું.

(11:33 am IST)