અમદાવાદમાં વેપારીને સસ્તા ભાવે સોનુ આપવાની લાલચ આપી ચાર શખ્સોએ 3.55 કરોડની છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ
અમદાવાદ: મીઠાખલીમાં રહેતા અને કેમિકલ ટ્રેડીંગનો વ્યવસાય કરતા વેપારીને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી તેની પાસેથી રાજકોટના ચાર શખ્સો મળીને છ શખ્સોએ 3.55 કરોડ લઈને છેતરપિંડી કરી હતી. તે સિવાય વેપારીની દોઢ કરોડની પોર્શે કયાન કાર પણ લઈ લીધી હતી. આ અંગે ક્રાઈમ બ્રાંચે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાંચે શૈવલ એસ.પરીખની ફરિયાદને આધારે સેટેલાઈટમાં હીરાકુવર સોસાયટીમાં રહેતા મિતુલ ઉર્ફે મીત ડી.જેઠવા, રાજકોટના ગુંદીવાડાના રાકેશ પી.રાજદેવ, રાજકોટના શ્રધ્ધા સ્ગ્સલેન્ડ પાર્કમાં રહેતા વિજય ગોબરભાઈ તંતી, રાજકોડ મોચીનગર-1માં રહેતા ફારૂક વાય. દલવાણી, રાજકોટમાં ગુરૂકૃપા બંગ્લોઝમાં રહેતા અભિષેક ઉર્ફે કાનો એચ. અઢીયા અને મુન્નો નામના શખ્સ વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી.