Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ડાયનાસોર ચંદ્ર કે મંગળ પર રહેતા હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે:સંશોધન

નવી દિલ્હી: કરોડો વર્ષ પહેલા પૃથ્વી પર વિચરતા વિશાળકાય ડાયનાસોર વિશે અનેક પ્રકારના શોધ સંશોધનો થયા છે હમણાં થયેલા એક ચોંકાવનારા સંશોધન મુજબ ડાયનાસોર ચંદ્ર કે મંગળ પર રહેતા હોય તેવું પણ માનવામાં આવી રહયું છે. આમ તો ચંદ્ર પર નિલ આર્મસ્ટ્રોગે પ્રથમ વાર પગ મુકયો હતો પરંતુ ૬.૬ કરોડ વર્ષ પહેલાના ડાયનાસોરના અવશેષો પૃથ્વીથી ચંદ્ર અને મંગળ ગ્રહ સુધી પહોંચે તે અજીબ લાગે છે. તેમ છતાં આ દાવો પીટર બ્રેનનના પુસ્તક ધ એન્ડ ઓફ ધ વર્લ્ડમાં કરવામાં આવ્યો છે. પુસ્તકમાં દર્શાવવામાં આવેલી થિએરી મુજબ એક ચિકકસુલબ નામનો એક ખગોળીય પિંડ પૃથ્વી સાથે ટકરાયો હતો. આ ઘટના પછી ભૂકંપ, જવાળામૂખી અને સુનામી દેવી મહા આપતિઓથી પૃથ્વી વિનાશ વેરાયો હતો.

વિશ્વમાં સૌથી ઉંચું શિખર ગણાતા માઉન્ટ એવરેસ્ટ કરતા પણ મોટો ચટ્ટાન જેવો કઠણ અવકાશી પિંડ અત્યંત તેજગતિએ પૃથ્વી સાથે ટકરાયો હોવો જોઇએ. આથી પૃથ્વી પરનું વાતાવરણ અત્યંત ગરમ થઇ ગયું હશે. વાયુમંડળની બહાર પણ છેદ પડી ગયો હોવો જોઇએ તેમાંથી કાળમાળ અંતરીક્ષમાં ફેલાઇને ચંદ્ર કે મંગળ ગ્રહ પર પહોંચ્યો હોયતો તેમાં નવાઇ નથી.

(6:19 pm IST)