Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક સુરક્ષા અભિયાન દરમ્યાન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન આતંકવાદી સહુંના પાંચ આતંકવાદીનાં મોત

નવી દિલ્હી:પાકિસ્તાની સેનાએ ઘોષણા કરી છે કે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક સુરક્ષા અભિયાન દરમ્યાન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન આતંકવાદ સમૂહના પાંચ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે. સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  સુરક્ષાબળોએ રવિવારના રોજ ઉતરી વજિરિસ્તાનના મીર અલી અને ખિસુર વિસ્તારમાં બે ખુફિયા સૂચનાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી.

           વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મૃતક લોકોમાં બે આતંકવાદી કામાન્ડરનો સમાવેશ થઇ રહ્યો છે. અફઘાનિસ્તાનની સીમાથી જોડાયેલ ઉતરી વિજિરિસ્તાનમાં આતંકવાદી સમૂહો વિરુદ્ધ ઘણા બધા ઓપરેશન કરવામાં આવ્યા છે.

(6:04 pm IST)