Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ઇંડોનેશિયામાં સોનાની ખાણમાં ભુસખ્લનના કારણોસર પાંચ લોકોના મોત

નવી દિલ્હી: ઇન્ડોનેશિયામાં સોનાની ખાણમાં ભૂસ્ખલનને કારણે પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 70 લોકો ગુમ થયા છે. આ ભૂસ્ખલન ઇન્ડોનેશિયાના સેન્ટ્રલ સુલાવેસી પ્રાંતમાં થયું છે. અહીંના પરીગી માઉન્ટટોંગ જિલ્લાના બરુંગા ગામે આ ભૂસ્ખલનના સમાચાર આવતાની સાથે જ રાહત અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

          અધિકારીએ કહ્યાનુસાર, સવારના સમયે પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને ગુમ થયેલા લોકોની માહિતી તેમના પરિવારો પાસેથી મેળવવામાં આવી હતી, આ માહિતી અનુસાર તેમની કુલ સંખ્યા 70 છે. તેમાંથી ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે. રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.

(5:59 pm IST)