Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

કંધારમાં આત્મઘાતી હુમલામાં 6 પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:કંધારના દક્ષિણી પ્રાંતમાં બુધવારના રોજ સવારના સમયે એક આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 6 પોલીસકર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું માલુમ પડી રહ્યું છે. વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આંતરિક મંત્રાલયે જણાવ્યું હતું કે આ ઘટના કંધાર શહેરના પીડી 11માં એનો મીના ટાઉનશીપમાં હતી જયારે એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટક પદરથી ભરેલ વાહનમાં વિસ્ફોટ કર્યો હતો. હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ પણ સંગઠન દ્વારા લેવામાં આવી નથી.

(5:41 pm IST)