દેશ-વિદેશ
News of Thursday, 10th September 2020

માલીમાં આતંકવાદી હુમલામાં ત્રણ સૈનિકોના મૃત્યુ:પાંચ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:માલીના મધ્યભાગમાં એક સૈન્ય વિસ્તારની કાર્યવાહીમાં આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા ત્રણ સૈનિકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય પાંચ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

      વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આતંકવાદી બે સૈન્ય વાહન લઈને પણ ફરાર થઇ ગયા હતા માલિની સ્થિતિ ઓગસ્ટના અંતમાં એક સૈન્ય તખ્તાપલટ પછી  પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી.

(5:20 pm IST)