દેશ-વિદેશ
News of Monday, 26th October 2020

કાબુલમાં આઇએસએ શિયાઓને નિશાન બનાવી હુમલો કર્યો : 24ના મૃત્યુ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા ભયંકર વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 24ને પાર પહોંચ્યો છે. જ્યારે બીજી તરફ હુમલાની જવાબદારી આતંકી સંગઠન આઇએસએ સ્વીકારી છે. સાથે એવા પણ અહેવાલો છે કે આતંકીઓએ શિયા મુસ્લિમોને નિશાન બનાવીને વિસ્ફોટને અંજામ આપ્યો હતો. કેમ કે કાબુલના જે વિસ્તારમાં વિસ્ફોટ થયો ત્યાં શિયા મુસ્લિમોની વસતી વધુ છે.

       હુમલામાં માર્યા ગયેલાઓમાં મોટા ભાગના બાળકો અને વિદ્યાર્થીઓ છે. કેમ કે આતંકીઓેએ અહીંના એક શૈક્ષણિક કેન્દ્ર પર હુમલો કર્યો હતો. અફઘાનિસ્તાન સરકારમાં મંત્રી તારિક એરીઅને કહ્યું હતું કે હુમલાખોર આતંકીએ શૈક્ષણિક સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેને વચ્ચે અટકાવી લેવામાં આવ્યો હતો.

(7:04 pm IST)