Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

વૈજ્ઞાનિકોની ખાતરી બાદ વડાપ્રધાન મોદીએ વેક્સિન મુકાવી

વડાપ્રધાને વેક્સિન મૂકાવતા વિપક્ષી નેતા અધીર રંજન ચૌધરીનો કટાક્ષ : સરકાર દ્વારા બનાવાયેલી કમિટીના રિપોર્ટમાં કોવેક્સિન અંગે સવાલ ઉઠાવાયો હતો હવે વૈજ્ઞાનિકોએ સલામત બતાવી

નવી દિલ્હી, તા. : ભારત બાયોટેકની સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિન પર વિપક્ષોએ તાજેતરમાં સવાલો ઉઠાવ્યા હતા. જોકે પીએમ મોદીએ આજે વેક્સિન મુકાવી છે ત્યારે તેના પર કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ નિવેદન આપ્યું છે.

અધીર રંજન ચૌધરીએ કહ્યુ હતુ કે, કદાચ વૈજ્ઞાનિકોએ પીએમ મોદીને ખાતરી આપી હશે કે હવે કોવેક્સિન લગાવવામાં કોઈ જોખમ નથી અને એટલે પીએમ મોદીએ હવે રસી મુકાવી છે.

જોકે ચૌધરીએ કહ્યુ હતુ કે, અમે કોવેક્સિન અંગે અમારા તરફથી કોઈ અભિપ્રાય આપ્યો નહોતો. સરકારી કમિટીએ તેનો વિરોધ કર્યો હતો. સરકાર દ્વારા બનાવાયેલી કમિટીના રિપોર્ટમાં કોવેક્સિન અંગે સવાલ ઉઠાવાયો હતો. દિલ્હીમાં એક ડોક્ટરે તેને નકારી પણ કાઢી હતી. હવે કદાચ વૈજ્ઞાનિકોએ કહ્યુ હશે કે, વેક્સિનથી હવે કોઈ ખતરો નથી એટલે પીએમ મોદીએ વેક્સિન લીધી હતી. અમારી પાર્ટીના કોઈ નેતાએ કે સાંસદે એમ પણ કહ્યુ નથી કે, અમારે પહેલી વેક્સિન લેવી જરુરી છે અથવા તો અમને પહેલા બચાવો. પહેલા કોંગ્રેસના બીજા નેતાઓ મનિષ તિવારી અને શશી થરુરે પણ વેક્સિન પર સવાલો ઉઠાવ્યા હતા. થરુરે કહ્યુ હતુ કે, કોવેક્સિનને તો ત્રીજી ટ્રાયલ વગર ઉપયોગ માટે મંજૂરી આપી દેવાઈ છે.

(7:57 pm IST)