Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

" ગાંધી કથા " : મહાત્મા ગાંધીના 150 મા જન્મ જયંતિ વર્ષ નિમિત્તે સાઉથ આફ્રિકામાં આયોજન કરાયું : ભારતીય દૂતાવાસના ઉપક્રમે આયોજિત ગાંધી કથામાં શ્રી મકરંદ પરાંજપેએ ગાંધીજીના અનુભવો અને ઉપદેશનો સાર સંભળાવ્યો

સાઉથ આફ્રિકા : મહાત્મા ગાંધીના  150 મા જન્મ જયંતિ વર્ષ નિમિત્તે સાઉથ આફ્રિકામાં ભારતીય દૂતાવાસના ઉપક્રમે ગાંધી કથાનું આયોજન કરાયું હતું.
ઓસિયન ગાંધી વિષય સાથે ગાંધી ફિલોસોફી સ્કોલર પ્રોફેસર શ્રી મકરંદ પરાંજપેએ ગાંધીજીના જીવન અને ઉપદેશોનો સાર સંભળાવ્યો હતો.
ગાંધીજી  1893  થી 1915 ની સાલ દરમિયાન સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા.તે દરમિયાનનું તેમનું જીવન તથા ભારતમાં આઝાદીની ચળવળની આગેવાની સહિતના તેમના અનુભવો અને તેઓએ આપેલા ઉપદેશોનો સાર કહી સંભળાવ્યો હતો.

(6:58 pm IST)