Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

બાબરી કેસમાં કોર્ટનો આદેશ માન્ય : ચૂકાદામાં સમય લાગતા વૃદ્ધ નેતાઓને મુશ્કેલી વેઠવી પડી

જો વહેલો ચૂકાદો આવ્યો હોત તો દિગજ્જ નેતાઓને હજૂ સુધી કોર્ટના ધક્કા ખાવા ન પડ્યા હોત.

અમદાવાદ : CBIની સ્પેશિયલ કોર્ટ દ્વારા બાબરી ધ્વંસના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટના આ ચૂકાદા બાબતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ ડૉક્ટર પ્રવિણભાઈ તોગડીયાએ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. તોગડીયા જણાવ્યું હતું કે, અમે કોર્ટના આદેશનું માન રાખીએ છીએ અને જો વહેલો ચૂકાદો આવ્યો હોત તો એલ. કે. અડવાણી, મુરલી મનોહર જોશી જેવા દિગજ્જ નેતાઓને હજૂ સુધી કોર્ટના ધક્કા ખાવા ન પડ્યા હોત.

(11:54 am IST)