Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

આદરણીય મહિંદર કૌરજી, હવે અવાજ સાંભળી લીધો ને પ્રુફની સાથે, કંગના ટીમ, બંદા ઇતના પન અંધા નહીં હોના ચાહીએઃ દિલજીત દોસાંજે ગુસ્‍સો ઠાલવ્‍યો

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતએ ખેડૂત વિરોધમાં એક ઉંમરલાયક મહિલા પર પોતાના નિવેદન પર ફરીથી વિવાદ ઉભો કર્યો છે. બિંદાસ બોલવા માટે જાણિતી અભિનેત્રી કંગના રનૌતએ ટ્વીટ કર્યું હતું, જેમાં ખોટી રીતે સિખ મહિલાની ઓળખ શાહીન બાગ વિરોધની બિલકિસ બાનો ઉર્દે મશહૂર દાદીના રૂપમાં કરવામાં આવી હતી. ત્યારબાદ ઘણા લોકોએ તેમના ખોટા ટ્વીટ માટે મેણા માર્યા જેમાં સિંગર દિલજીત દોસાંજ પણ સામેલ છે. પરંતુ કંગનાએ હવે દિલજીત દોસાંજને કરાર જવાબ આપ્યો છે.

પંજાબી અને બોલીવુડના જાણિતા સિંગર દિલજીત દોસાંજએ સિખ મહિલા (મહિંદર કૌર)નો એક વીડિયો શેર કરતાં પંજાબી ભાષામાં ટ્વીટ કર્યું, 'આદરણીય મહિંદર કૌરજી, હવે અવાજ સાંભળી લીધો ન પ્રૂફની સાથે #કંગનાટીમ, બંદા ઇતના પન અંધા નહી હોના ચાહીએ...@કંગના ટીમ તે કંઇપણ કહે છે.

તેનો જવાબ આપતાં કંગના રનૌતએ લખ્યું 'ઓ કરણ જૌહરના પાલતૂ, જે દાદી શાહીન બાગમાં પોતાની નાગરિકતા માટે વિરોધ કરી રહી હતી, તો જ બિલકિસ બાનો દાદીજી ખેડૂતો સાથે પણ વિરોધ કરે છે. મહિંદર કૌરજીને તો મ્હું પણ જાણુ છું, શું નાટક ચાલવી રાખ્યું છે તમે લોકોએ? તેને બંધ કરો.'

આ દરમિયાન પંજાબના જીરકપુરના એક વકીલે અભિનેત્રીને એક નોટીસ મોકલી, જેમાં દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન સંબંધિત પોતાના હવે ડિલીટ કરવામાં આવ્યા ટ્વીટને લઇને માફી માંગવાની માંગ કરી, સમાચાર એજન્સી એએનઆઇ સાથે વાતચીતમાં વકીલે કંગના પર કેસ દાખલ કર્યો. પોતાના ટ્વીટમાં, કંગનાએ કથિત રીતે બિલકિસ દાદીના રૂપમાં વિરોધ પ્રદર્શનોમાં એક ઉંમરલાયક મહિલાને ખોટી ગણાવી હતી, જે ગત વર્ષે દિલ્હીના શાહીન બાગ વિરોધી પ્રદર્શનોમાં એક પ્રમુખ ચહેરો હતો.

(5:47 pm IST)