Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

મોદી સરકારના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીનો કોરોના પોઝીટીવ : હોમ ક્વોરેન્ટાઈન થયા

તેના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઈન થવાની સલાહ

નવી દિલ્હી : મોદી કેબિનેટના વધુ એક મંત્રી કોરોના પોઝિટીવ આવ્યાં છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કોરોના પોઝિટીવ આવ્યાની પુષ્ટી કરી છે. કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ પ્રહલાદ જોશીએ પોતાને હોમ ક્વોરેન્ટાઈ કરી લીધા છે. કેન્દ્રીય મંત્રીમાં કોરોના પોઝિટીવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઈન થવાની સલાહ આપવામાં આવી છે. તે કર્ણાટકથી આવનારા બીજા કેન્દ્રીય મંત્રી છે જેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ પહેલા રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગડી પણ કોરોના પોઝિટીવ થયા હતા અને તેનું નિધન થયું હતું

   જોશી કર્ણાટકના ધારવાડથી સાંસદ છે અને કેન્દ્રમાં કોલસા અને ખાણ મામલાનો કાર્યભાર સંભાળે છે. આ પહેલા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, અમિતભાઈ  શાહ સહિત ઘણા કેબિનેટ મંત્રી કોરોના પોઝિટીવ આવ્યાં છે. કોરોનાની સારવાર કરાવ્યા બાદ અમિતભાઈ  શાહ પોતાના કામ ઉપર પરત ફર્યા છે. .

(10:00 pm IST)