Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

હાથરસ કેસ

ન્યાય મળ્યા બાદ જ દીકરીના અસ્થિનું વિસર્જન કરીશું: પરિવાર

કોર્ટમાં પીડિત પરિવારે રાત્રે કરવામાં આવેલા અંતિમ સંસ્કાર પણ નારાજગી વ્યકત કરતાં કહ્યું હતું કે તેમને નથી ખબર કે કોના અંતિમ સંસ્કાર કરવામં આવ્યા છે

હાથરસ, તા.૧૩: હાથરસ કેસ માં પીડિત પરિવારના લોકો અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચની સમક્ષ રજૂ થઈને સોમવાર મોડી રાત્રે દ્યરે પરત ફર્યા છે. પરિવારના લોકો પોલીસની કડક સુરક્ષાની વચ્ચે હાથરસ પરત ફર્યા. બીજી તરફ, ઘરે પરત ફર્યા બાદ પીડિત પરિવારનું કહેવું છે કે તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી પોતાની દીકરીની અસ્થિઓનું વિસર્જન નહીં કરે. તેઓએ કહ્યું કે અમે કોર્ટની સામે આ મુદ્દાને ઉઠાવ્યો છે કે મારી દીકરીના મૃતદેહને કોઈની મંજૂરી વગર જ સળગાવી દેવામાં આવ્યો હતો.

મૂળે, અલાહાબાદ હાઈકોર્ટ ની લખનઉ બેન્ચમાં હાથરસ મામલા ને લઈ સોમવારે સુનાવણી થઈ. આ દરમિયાન કોર્ટમાં હાથરસ કેસના પીડિત પરિવારના લોકોની સાથે અધિકારીઓએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો. કોર્ટમાં પીડિત પરિવારે રાત્રે અંતિમ સંસ્કાર પણ નારાજગી વ્યકત કરતાં કહ્યું હતું કે તેમને નથી ખબર કે કોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. બીજી તરફ પીડિત પરિવારના વકીલ સીમા કુશવાહાના જણાવ્યા મુજબ, પરિવારે કોર્ટથી માંગ કરી હતી કે સીબીઆઈ ના  રિપોર્ટને ખાનગી રાખવામાં આવે, કેસને ઉત્ત્।ર પ્રદેશ ની બહાર ટ્રાન્સફર કરવામાં આવે અને જયાં સુધી કેસ પૂરી રીતે ખતમ ન થઈ જાય ત્યાં સુધી પરિવારને સુરક્ષા પૂરી પાડવામાં આવે.

પીડિત પરિવારના નિવેદન બાદ અલાહાબાદ હાઈકોર્ટમાં ડીએમએ કહ્યું હતું કે પીડિતાના અંતિમ સંસ્કાર રાત્રે કરવાનો નિર્ણય સ્થાનિક પ્રશાસને લીધો હતો. ઉપરથી રાતમાં અંતિમ સંસ્કારને લઈ કોઈ નિર્દેશ નહોતા આપવામાં આવ્યા. કાયદો અને વ્યવસ્થા બગડવાની આશંકાના કારણે રાતે અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

(9:56 am IST)