Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આરોપીને શોધી કાઢવા ટીમોને કામે લગાડી દીધી

'અકિલા સાંધ્ય દૈનિક'ના નામે સોશિયલ મિડીયામાં ખોટા અને લોકોમાં-વાંચકોમાં ભ્રમ-ભય ઉભો થાય તેવા તદ્દન ખોટા મેસેજ વાયરલ થયા તે બાબતને પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે અત્યંત ગંભીર ગણી છે અને અકિલાએ આપેલી ફરિયાદને આધારે ખોટા મેસેજ વાયરલ કરનારા શખ્સોને શોધી કાઢવા  સાયબર ક્રાઇમના અધિકારીઓની ટીમોને કામે લગાડી છે. ખુબ ઝડપથી આ ટીમો હીન કૃત્ય કરનારાઓને શોધી કાઢશે તેવું તેમણે જણાવ્યું છે.

(11:48 am IST)