Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

કાશ્મીરમાં ઉપરા ઉપર આતંકી હુમલા : ૩ જવાન શહીદ : ૩ આતંકીઓ ઠાર મરાયા

શ્રીનગરમાં ૧૨ કલાકમાં ત્રણ આતંકી હુમલા થયા છે : જેમા ૩ પોલીસ કર્મચારી શહીદ થયા અને ૩ ત્રાસવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે : શ્રીનગરમાં હુમલો કરનાર ત્રાસવાદીઓની તલાશી જોરશોરથી ચાલુ છે : બડગામમાં આતંકીઓ ભાગી જવામાં કામયાબ થયા હતા : આજે બપોરે મધ્ય કાશ્મીરના શ્રીનગર જીલ્લાના ભગત બરજુલ્લા વિસ્તારમાં પોલીસ દળ પર આતંકીઓએ અચાનક હુમલો કરતા બે જવાન શહીદ થયા હતા : સુરક્ષા જવાનો વળતો જવાબ આપે તે પહેલા આતંકીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા : આતંકીઓ વાહનમાં આવ્યા હતા અને પોલીસ કર્મચારીઓ ઉપર અચાનક ગોળીઓ વરસાવવાની શરૂ કરી હતી : આ પહેલા શોપીયામાં સુરક્ષાદળોના સંયુકત ઓપરેશનમાં ૩ આતંકી ઠાર મરાયા હતા : આ મૂઠભેડમાં જમ્મુ કાશ્મીર પોલીસના એસપીઓ મહોમ્મદ અલ્તાફ શહીદ થયા હતા.

(4:00 pm IST)