Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

કમલનાથની ' આઈટમ ' ટિપ્પણી પર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યો પ્રહાર :કહ્યું આ કોંગ્રેસનો સિદ્ધાંત છે

અગાઉ, દિગ્વિજય સિંહે કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજન વિશે કંઇક કહ્યું હતું

ગ્વાલિયર જિલ્લાના ડબરા વિધાનસભા પહોંચેલા કમલનાથે સુરેશ રાજેના સમર્થનમાં બેઠક યોજીને મધ્ય પ્રદેશ સરકારના પ્રધાન ઇમરતી દેવીને 'આઇટમ' કહ્યું હતું.જેનો વિવાદ વકર્યો છે

રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથના નિવેદનને ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે, આ કોંગ્રેસનો સિદ્ધાંત છે. અગાઉ, દિગ્વિજય સિંહે કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજન વિશે કંઇક કહ્યું હતું, જે મને યાદ નથી, હવે કમલનાથે ભાજપના પ્રધાન ઇમરતી દેવીને 'આઇટમ' તરીકે ગણાવ્યા છે. જ્યારે અજયસિંહે તેમને 'જલેબી' કહ્યું હતું. કોંગ્રેસ ક્યારેય પણ મહિલાઓનું સન્માન નથી કરતી.

(1:17 pm IST)