Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

બેંગલુરૂમાં એક મજુરે રસ્તા પર જતા સાત લોકો પર ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો : એકનું મોત

મૃતકની ઓળખ ૩૦ વર્ષીય ગણેશ તરીકે થઇ છે જે મજુરી કરીને ગુજરાન ચલાવતો હતો

બેંગલુરૂ, તા. ૧૯ :  કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં રવિવારે ૩૦ વર્ષીય મજૂરે એક વ્યકિતની ચાકુ મારીને હત્યા કરી અને અન્ય ૬ લોકોને ઇજાગ્રસ્ત કર્યા. પોલીસે જણાવ્યું કે આરોપી ગણેશે સવારે ૮.૩૦ વાગે અંજનપ્પા ગાર્ડનમાં વિનાયક થિયેટરની પાસે સ્થિત એક મટન શોપ પર ગયો. ત્યારથી ચાકુ ચોરીને તે ભાગી ગયો. તે પછી રસ્તા પરથી પસાર થતા તમામ લોકોને પર તેણે ચાકુથી પ્રહાર કર્યા. જેમાંથી એક ઇજાગ્રસ્ત મજૂરની હોસ્પિટલમાં મોત થઇ ગઇ. બાકી અન્યને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.

મૃતકની ઓળખ ૩૦ વર્ષીય ગણેશ તરીકે થઇ છે. જે રોજિંદી મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતો. તેણે જે લોકો પર હુમલો કર્યો છે તેમના નામ છે વેલયુદ્યમ, રાજેશ, સુરેશ, આનંદ અને પ્રકાશ. જેમાંથી વેલયુધમની સ્થિતિ ગંભીર છે. પોલીસના જણાવ્યા મુજબ ગણેશે અંજનપ્પા ગાર્ડન, બખ્શી ગાર્ડન અન બલેકાઇ મંડીની આસપાસ લગભગ બે કિલોમીટર સુધી પગપાળા જતા લોકોને અકારણે ચપ્પુથી વાર કર્યો છે. જેનાથી સ્થાનિક લોકોમાં ડરનો માહોલ બની ગયો છે.

લોકોએ બૂમા બૂમ કરી દેતા એક નિરીક્ષક અને કોન્સેટબલ દ્યટનાસ્થળે પહોંચ્યા હતા. અને તેમણે હુમલાખોરને પકડીને તેની પાસેથી ચાકુ જપ્ત કર્યું હતું. પોલીસનું કહેવું છે કે આરોપીને પકડી લેવામાં આવ્યા છે અને તેની પર કલમ ૩૦૨ અને ૩૦૭ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે કહ્યું કે શરૂઆતી તપાસથી જાણકારી મળી છે કે જે જે લોકો પર ગણેશ હુમલો કર્યો છે તે ગણેશને જાણતા નહતા. તે લોકો સામાન્ય દિવસની જેમ બસ ત્યાંથી રસ્તો પસાર કરી રહ્યા હતા. આરોપીના પરિવારનો દાવો છે કે ગણેશ માનસિક રીતે અસ્થિર છે. અને હાલ પોલીસ તેના મેડિકલ રિપોર્ટની રાહ જોઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે આવું પહેલીવાર બેંગલુરુમાં કદાચ બન્યું હશે કે આટલી મોટી સંખ્યામાં રસ્તે જતા લોકો પર કોઇએ ચાકુથી હુમલો કર્યો હોય. ચોક્કસથી આ દ્યટના પછી અહીંના લોકો ભયભીત છે. પોલીસ પણ આ મામલે હાલ વધુ તપાસ કરી રહી છે.

નોંધનીય છે કે અમેરિકા જેવા દેશોમાં આ પ્રકારના 'લોન વૂલ્ફ' અટેક થાય છે. જયાં લોકો અચાનક જ અકારણે ગન કે કોઇ હથિયારથી અકારણે રસ્તે જતા લોકો પણ જીવલેણ હુમલા કરે છે.

(3:45 pm IST)